GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના કોટેચા અને કિસાનપરા ચોક ખાતે “મતદાન પત્રિકા”નું વિતરણ કરીને મતદાન જાગૃ્તિનો સંદેશો આપતું વિદ્યાર્થી જગત

તા.૨/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સિગ્નેચર કેમ્પેઈન અને દેશભક્તિના ગીતો થકી લોકોને અચુક મતદાન કરવા કર્યા પ્રેરિત

Rajkot: લોકશાહીના મહાપર્વ સમા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં દરેક નાગરીક ઉત્સાહભેર જોડાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃત્તિ અર્થે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અન્વયે વી.વી.પી એન્જિનિયરીંગ કોલેજ, ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર અને કીચ સ્કૂલ ઓફ ડિઝાઈનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજકોટ શહેરના કિશાનપરા ચોક અને કોટેચા ચોક ખાતે મતદાન જાગૃત્તિ અંગે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ હેઠળ એન.સી.સી કેડેટ્સ અને વિદ્યાર્થી મિત્રોએ સિગ્નેચર કેમ્પેઈનના માધ્યમથી લોકોને મતદાન અંગેના સુવિચારો લખીને અને દેશભક્તિના ગીતો થકી લોકોને અચુક મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. તેમજ જાહેર જનતાને “મતદાન મારો અધિકાર, મતદાન મારું કર્તવ્ય”, “વધારીએ દેશની શાન આવો કરીએ મતદાન”ના સ્લોગ્નની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વે મહાનુભવોએ અચુક મતદાન કરવા અંગેના શપથ લીધા હતા.

આ તકે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવી, સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, ડો. નરેન્દ્રભાઈ દવે, પ્રિન્સીપાલશ્રી ડો.તેજસભાઈ પાટલીયા તેમજ આર્કિટેકચર કોલેજના પ્રિન્સીપાલ શ્રી દેવાંગભાઈ પારેખ, શ્રી કિરીટ શેઠ, શ્રી ચમનભાઈ સિંધવ, શ્રી ધવલભાઈ જોશી, શ્રી અકુમુદીન ભારમલ, શ્રી ઊર્મિબેન માંકડ, શ્રી લીનાબેન શુક્લ, શ્રી રજનીભાઈ રૂપારેલીયા તેમજ તમામ વિભાગીય વડાઓ પ્રધાધ્યાપકો બિન-શૈક્ષણિક અને સહ- શૈક્ષણિક કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્સ આઈટમ

“દરેક નાગરીકે લોકશાહીને મજબુત કરવા અવશ્ય મતદાન કરવું જોઈએ.”

શ્રી કૌશિકભાઈ શુક્લ (ટ્રસ્ટ્રી, વી.વી.પી એન્જિનિયરીંગ કોલેજ)

વી.વી.પી એન્જિનિયરીંગ કોલેજના ટ્રસ્ટ્રી શ્રી કૌશિકભાઈ શુક્લએ લોકશાહીને સશક્ત કરવાના ભાગરૂપે દરેક નાગરીકે અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ જણાવતાં કહ્યું હતું કે, અમારી કોલેજ દ્વારા દરેક ચુંટણીમાં વધુમાં વધુ થાય તે માટે મતદાન જાગૃત્તિ સંદર્ભે જાહેર સ્થળોએ કાર્યક્રમ હાથ ધરવામાં આવતા હોય છે. જેમાં કોલેજના પ્રધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાતા હોય છે. સાથો સાથ વિદ્યાર્થીઓ પણ વિવિધ પ્રવૃતિઓ દ્વારા અમુલ્ય મતદાનના મહત્વને સમજે છે અને નાગરીકોને પણ અચુક મતદાન કરવાની પ્રેરણા આપે છે. ત્યારે હું રાજકોટના દરેક નાગરીકને અપીલ કરું છું કે, લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર જોડાઈ અને તા. ૭ મે, ૨૦૨૪ના અચુક મતદાન કરવા જાય.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!