GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના લોઠડા, ઉપલેટાના નીલાખા અને રાજપરાના ગ્રામજનોએ મતદાન જાગૃતિ અર્થે દોડ લગાવી

તા.૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ભારતીય ચૂંટણી તંત્રના મહાયજ્ઞનો અવસર સાતમી મેએ ગુજરાતભરમાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકસભાની ચૂંટણી અન્વયે વધુમાં વધુ મતદાન થાય, તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જે અન્વયે રાજકોટ ગ્રામ્યના લોઠડા ગામે, ઉપલેટા તાલુકાના નીલાખા ગામે અને રાજપરા ગામે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોથી લઈને વયોવૃદ્ધોએ મતદાન જાગૃતિ પ્રસરાવવાના હેતુસર દોડ લગાવી હતી અને મતદાનની પાત્રતા ધરાવતા ગ્રામજનોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!