અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીનનો પાક રિજેક્ટ કરાતા ખેડુતોનો હોબાળો
ખેડૂત જાત મહેનત કરી રાત દિવસ ઠંડી કે તડકો વેઠીને પોતે ખેતી કરતો હોય છે અને કંઈક કમાવાની આશાએ તે ખેતરમાં ખેતી કરી અનાજ પકવતો હોય છે જેના કારણે અનાજ વેચીને બજારમાંથી પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લઇ જતા હોય છે પરંતુ હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ અનાજ ખરીદી કરવામાં આવી રહી છે જેની અંદર ચોમાસામાં કરેલી સોયાબીનની ખેતીની અંદર ખેડૂતોએ સોયાબીનનો પાક ટેકાના ભાવે માર્કેટ યાર્ડ ની અંદર વેચાણ માટે આવેલ પરંતુ માર્કેટ યાર્ડ ની અંદર ખેડૂતોનું સોયાબીનનો પાક રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો
મેઘરજમાં જિલ્લા સંઘ દ્વારા સોયાબીનની ખરીદી કેન્દ્ર ફાળવવા આવેલ છે અને ટેકાનાં ભાવ મળી રહે તે માટે ખેડૂતો વેચાણ અર્થ એ આવતા હોય છે પરંતુ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના સોયાબીનનો પાક રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેમાં ૮ થી ૧૦ ખેડુતોના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતો રોષે ભરાયાં હતાં હાઇડવેસ્ટર થી કાઢેલા સોયાબીનનો પાક રિજેક્ટ કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી ખેડુતો પોતાનો પાક લઇને વહેલી સવારથી લાઈનોમાં લાગેલા હતાં મહામહેનતે પકવેલા ખેડૂતોના પાકને અધિકારી દ્વારા રિજેક્ટ કરતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી
સોયાબીન ચોખ્ખા હોવા છતાં રિજેક્ટ કરવા માં આવ્યો હતો ત્યારે જાત મહેનત થી પકેવલા પાક જ્યારે ખેડુત વેચાણ માટે જાય છે તયારે પાક રિજેક્ટ કરવામા આવે છે આવું કેમ..? જેવા એનેક સવાલો ઉભા થયા છે