તા.૨૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પાણીની અંદર યોગ કરવા મુશ્કેલ હોય છે તેવામાં રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલ લોકમાન્ય તિલક સ્નાનાગારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૫૨ મહિલાઓ દ્વારા એકવા યોગ કરવામાં આવ્યા હતા.
આ યોગ થકી પાણીમાં હાઇડ્રોથેરાપી એક્સરસાઇઝના કારણે ફ્રોઝન શોલ્ડર, ઘૂંટણનો દુખાવો, હાઈ ડિપ્રેશન અને મસ્ક્યુલર બીમારી જેવી કે સેરેબ્રલ પાલ્સી, પોલિયો જેવી અસાધ્ય બીમારીને નિવારવા ઉપયોગી સાબિત થાય છે. તેમજ મહિલાઓનો જુસ્સો વધારવા ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.