GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટનાં દુષ્કર્મ – હત્યા કેસ ના ચકચારી ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો

તા.૯/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સમગ્ર ઘટના પ્રમાણે ત્રણ દિવસ પહેલા એક ભોગ બનનાર આઠેક વર્ષની બાળકી આકાંક્ષા સાથે દુષ્કર્મ આચરી તેની પથર ના ઘા ઝીંકી ને બેરહેમી પૂર્વક મોત ને ધાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચાર બચાવી હતી પોલીસ તંત્ર તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી અને તપાસમાં લાગી ગયું હતું. ભક્તિનગર વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચકાસી ચક્રો ગતિમાન કર્યા હતા.

સીસીટીવીમાં કેદ થયેલા બાળકીના પિતાના મિત્ર એવા મીતલેશ ભરત અને અમરેશની હાજરી નોંધાઈ હતી. પ્રથમ મીથીલેશ નામના શખ્સને બાળકી સાથે સીસીટીવી ફુટેજમાં જોતા તેની બહારગામ ભાગી ગયો હોય ત્યાંથી ધરપકડ કરી હતી અને આગવી ઢબે પૂછપરછ કરતાં દુષ્કર્મ – હત્યા કર્યા ની ચોંકાવનારી કબૂલાત આપી હતી અને સાથી અન્ય બે આરોપીના નામ પણ મળ્યા હતા તેઓ પણ ભાગી ગયા હતા પરંતુ બંનેની રાજસ્થાન પોલીસ ના સહકારથી ધરપકડ કરી હતી.

એક છોકરાઓનારી પણ જાણવા છે કે બાળકીની માતા ચારિત્રહીન હતી અને આ ત્રણ ઉપરાંત અન્ય શખ્સોને પણ ઘરે શબાબ કબાબ અને શરાબની વ્યવસ્થા પૂરી પાડતી હતી જેમાં બાળકીના પિતાની પણ મુક સંમતિ રહેતી હતી. બનાવનાર દિવસે બાળકીને માતા તેના કોઈ પ્રેમી રાજ્યો તેમને મળવા માટે ઘરની બહાર હતી અને પિતાની પણ હાજરી ન હતી. ત્રણેય શખ્સો નશામાં ચકચૂર હતા. વાસનામાં અંધ બની અને બાળકીને કોઈ વસ્તુ અપાવવાની લાલચે બહાર લઈ ગયા હતા. અને દુષ્કર્મ આચર્યું હતું.તેની ઓળખાણ બીજા કોઈને ન આપે તે માટે બાળકીને હત્યા કરી નાખી હતી.

પડકાર રૂપ હત્યા નો ભેદ ઉકલવા માં સ્થાનિક પોલીસ ડીસીબી એસઓજી એલસીબી રેલવે પોલીસ અને વીરમગામ તેમજ રાજસ્થાન પોલીસની સહીયારી મહેનતથી ગુના નો ભેદ ઉકેલાયો હતો. હાલ રાજકોટમાં પરપ્રાંતીઓ આવી અને ધંધા રોજગાર માટે રાજકોટ આવે છે અગાઉ પણ સોની બજારમાં આતંકવાદીઓનો કનેક્શન પકડાયું હતું ત્યારે પોલીસ તંત્રએ નોંધણી ફરજિયાત કરવાની સૂચનાઓ આપી હતી બંગાળી ઉપરાંત અન્ય પ્રાંતમાંથી પણ ઘણા લોકો આવે છે દરેક ક્ષેત્રમાં આ નોંધણીની સફળતા જરૂરી છે જેના પરથી કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય તો તરત જાણ થઈ શકે આ સંદર્ભે પોલીસ તંત્રએ ગંભીરતાથી ઝુંબેશ આગળ વધારવાની જરૂર છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!