KUTCHMANDAVI

માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા “સંપર્ક થી સમર્થન અંતર્ગત” “જનસંપર્ક અભિયાન” કરવામાં આવ્યું.

3-જુન.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા *”સંપર્ક થી સમર્થન અંતર્ગત” “જનસંપર્ક અભિયાન”* કરવામાં આવ્યું.જેમાં ભારતીય જનતા પાર્ટી અંતર્ગત ચાલી રહેલા અભિયાન માં કેન્દ્ર અને પ્રદેશ ની સુચના મુજબ તાલુકા ના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા જુના જનસંગી વડીલો તથા રાષ્ટ્રીય હીત ની વિચારધારા સાથે વરાયેલા વ્યક્તિઓ ની એમના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત લઈ અને એમનો સત્કાર સન્માન કરી અને એમની રાષ્ટ્રીય વિચારધારા ને સમજવાનું અવસર મળ્યું.જેમાં પ્રથમ શિરવા ગામ મધ્યે જુના જનસંગી વડીલો શ્રી કિશોરભાઈ ભાનુશાલી, શ્રીચુનીલાલ ભાઈ ભાનુશાલી, શ્રી શંભુભાઈ બંધાણી, શ્રી મંગલભાઈ ભાનુંશાલી ત્યાર પછી મેરાઉ ગામ મધ્યે જુના જનસંગી વડીલ શ્રી ડો.નરોત્તમ ભાઈ ખત્રી સાહેબ ને મળવાનુ થયું ત્યાર પછી રાજદા ટેકરી ધામના મહંત પ.પું શ્રી અર્જૂનનાથ જી બાપુ ના આશીર્વાદ લીધા પછી હમણાં ચાલી રહેલા તળાવો તથા ડેમો ઊંડા કરવામાં ની કામગીરી ને બાપુ એ બિરદાવી હતી અને પાર્ટી એ યાદ કર્યા એમને એટલા માટે મોદી સાહેબ ને યાદ કરી અને એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યારપછી દુર્ગાપુર ગામ મધ્યે જુના જનસંગી અને આર્ય સમાજ ના અગ્રણી શ્રી નવિનભાઈ વેલાણી બાપા ને મળવાનું થયું એમણે પણ મોદી સાહેબ ને યુગ પુરુષ ની ઉપમા આપી અને ખુબજ રાજીપો વ્યક્ત કર્યો હતો અને એમણે જનસંગ વખત ની જુની વાતો અને રાષ્ટ્રીયહિત ની વાતો તે સમય થી હમણાં ના સમય માં આપણે આપણા રાષ્ટ્ર માટે સુ કરી શકીએ એના માટે માર્ગદર્શન આપ્યું હતું.આજના આ જનસંપર્ક અભિયાન માં માંડવી તાલુકા ભાજપ પરિવાર વતી માંડવી તાલુકા મંડળ ના પ્રમુખશ્રી સુરેશભાઈ સંગાર, સાથે તાલુકા મંડળ ના ઉપ પ્રમુખશ્રી હરિભાઈ ગઢવી, તાલુકા મંડળ ના ઉપ પ્રમુખશ્રી દસુભા જાડેજા, તાલુકા પંચાયત સતાપક્ષ ના નેતા શ્રી દેવાંગભાઈ ગઢવી, તાલુકા યુવા ભાજપ ના પ્રમુખશ્રી ગોપાલ ભાઈ ગઢવી આ અભિયાન માં સાથે રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!