JETPURRAJKOT

વાવાઝોડાની આગાહી છે, ચેતતા રહેજો.. તંત્ર દ્વારા કાગદડી સહિતના ગામોમાં ઢોલ પીટી ગ્રામજનોને સાવચેત કરાયા

તા.૧૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે વાવાઝોડા પહેલા, દરમ્યાન તેમજ બાદમાં કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કાગદડી, ધોરાજીના સુપેડી તથા છાડવાદર સહિતના ગામોમાં ઢોલ પીટી લોકોને તકેદારીની માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગૌરીદડ ગ્રામપંચાયત દ્વારા માઈકથી લોકોને ચેતવણી પાઠવવામાં આવી હતી. લોકોને ઊંચા હોર્ડિંગ કે પતરા આસપાસ બાળકોને દૂર રાખવા તેમજ સરપંચ અને તલાટીને આ બાબતે જાણ કરવા સૂચિત કરાયા હતા કરવામાં આવ્યા હતાં. તા. ૧૨ થી ૧૫ દરમ્યાન કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે તંત્રના સંપર્કમાં રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!