GONDALRAJKOT

ગોંડલ તાલુકા સેવા સદનને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ કરાયું

તા.૬ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્ય સરકારના પર્યાવરણના જતન અને સંવર્ધનના અભિગમ અન્વયે સરકારી વિભાગો અને જાહેર સ્થળો હરિયાળા બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જે અન્વયે રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ તાલુકા સેવા સદનમાં તા. ૦૫ જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે કચેરીના મેદાનમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ કલેકટરશ્રી રાજેશભાઈ આલ, મામલતદારશ્રી ડો. એચ. વી. ચાવડા, સર્કલ ઓફિસર (શહેર)શ્રી વાય.ડી.ગોહિલ, પર્યાવરણવિદશ્રી હિતેશભાઈ દવે સહિત સ્ટાફમેમ્બર્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!