RAJKOT

જામકંડોરણા ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ભારે વરસાદ ના પગલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની મુલાકાત કરી

૨૧ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

જામકંડોરણા પંથકમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. જેમાં જામકંડોરણા તાલુકાના પીપરડી બંધીયા ઉજળા બોરીયા ગામો ના લોકો ની હાલત કફોડી બની જવા પામી છે જેથી જામકંડોરણા ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એ જળબંબાકાર જેવી પરીસ્થિતિ ને પહોંચી વળવા અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત કરીને લોકોને હૂંફ આપી હતી.જામકંડોરણા માં સતત વરસતા વરસાદમાં ગામડાઓમાં ધારાસભ્ય જયેશભાઈ કોમનમેન માફક પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોને મળી હુંફ આપી હતી. જામકંડોરણા ના ધારાસભ્યએ જામકંડોરણા ના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે લોકો ની સાથે છે. તેવો લોકો ને અહેસાસ કરવી રહ્યા છે ભારે વરસાદ થવાથી નદી નાળા ચેકડેમો સંપૂર્ણ ભરાઇ ને વહેતા થયા છે. તેમજ પાણી ભરાયા હોય તેવા સ્થળ પર લોકોને ના જવા અપીલ કરી હતી. તેમજ કોઈપણ પ્રશ્ન હોય તો પહોંચી વળવા માટે પણ તેમણે ખાતરી આપી હતી.ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જેટલા ગામડાઓમાં ફરીને ભારે વરસાદના કારણે આવેલી આકાશી આફતથી સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!