દિલ્હીની એક કોર્ટે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત વચગાળાના ભરણપોષણ માટે એક મહિલાની અરજીને એમ કહીને ફગાવી દીધી કે તે ઘણી ભણેલી ગણેલી છે અને તે આવકના સ્ત્રોતને શોધવામાં સક્ષમ છે. એવામાં તેને ભરણપોષણ આપવાના પગલે કામચોરી અને પતિ પરની નિર્ભરતાને પ્રોત્સાહન મળશે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્વયં સિદ્ધ ત્રિપાઠી અધિનિયમ મુજબ 50,000 રૂપિયા દર મહિને ભરણપોષણ પેટે આપવાની માંગ કરતી એક અરજી પર સુનાવણી કરી હતી.
જજે કહ્યું કે અરજદાર પત્ની ખૂબ જ ભણેલી-ગણેલી છે અને પોતાના માટે આવકનો સોર્સ શોધવામાં સક્ષમ છે. આ સંજોગોમાં જો આ અરજીને માન્ય રાખવામાં આવે તો કામચોરીને પ્રોત્સાહન મળશે. આ સિવાય પતિ પરની પત્નીઓની નિર્ભરતાને પણ પ્રોત્સાહન મળશે. કોર્ટે અવલોકન કરતા નોંધ્યું કે હાલ અરજદારની કમાવવાની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવે તો અરજદાર ભરણપોષણને પાત્ર નથી.