RAJKOTRAJKOT CITY / TALUKO

નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાનું કૌભાંડ બહાર આવ્યું

રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં 30 વિદ્યાર્થીઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં નીટની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાનો મામલે સામે આવતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી. આ તપાસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હી સહિતના રાજ્યોના વિધાર્થીઓ ભોગ બન્યા હતા. વિધાર્થીઓ પાસેથી 15-20-30 લાખ જેવી જુદી જુદી રકમ મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્રણ વિધાર્થીઓ રાજકોટ જિલ્લાના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપી મનજીત જૈન સહિત 3 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!