
રાજપીપલા : નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ મહાત્મા ગાંધીજીની પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ પાઠવી
રાજપીપલા : જુનેદ ખત્રી
૩૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્ય તિથિએ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે ભેગા મળી ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગાંધીજીએ વિદેશમાં અભ્યાસ કરી ભારત પરત આવ્યા સ્વતંત્રતાની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી ગાંધીજીની સત્યના પ્રયોગો નું અનુવાદન વિશ્વભરની ભાષાઓમાં થયું છે તેઓ ખરેખર યુગ પુરુષ છે આજે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે




