DAHODGUJARAT

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી 

તા. ૧૭. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી કાર્યરત છે જેમાં પાયાના શિક્ષણથી માંડીને રસસભર પ્રવુતિઓ અને શિક્ષણ આપવામાં આવે છે. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બહેનો દ્વારા ભાઈઓને કુંમ કુંમ તિલક કરીને, મો મીઠું કરાવીને રાખડી બાંધી હતી. શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર મકવાણાએ રક્ષાબંધન પર્વ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી સાથે સાથે શાળાના સ્ટાફ દ્વારા પણ રાખડી બાંધીને આનંદસભર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!