GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૦ સપ્ટેમ્બરના ભરતી મેળો યોજાશે,સીવીએમ અને એઆઈએમ લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટે કામ કરવાની તક

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૧૦ સપ્ટેમ્બરના ભરતી મેળો યોજાશે,સીવીએમ અને એઆઈએમ લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટે કામ કરવાની તક

જૂનાગઢ જિલ્લાના રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ચોક્સી વછરાજ મકનજી એન્ડ કંપની( CVM COMPANY )-જૂનાગઢ, તથા એ.આઇ.એમ. લી. ભાવનગર ને જૂનાગઢ બ્રાંચ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ગોલ્ડ રીકવરી/ ઇન્વેન્ટરી – મેનેજર, ગોલ્ડ રીકવરી/ એકાઉન્ટ – આસીસ્ટન્ટ, સ્કેન/ સ્ટોક/ એડમીન-એક્ઝ્યુકેટીવ, મેન્યુઅલ/ ગ્રાફીક/ કેડ-જ્વેલરી ડિઝાઇનર, બ્રાંચ મેનેજર, આસી.બ્રાંચ મેનેજર, સીક્યુરીટી સુપરવાઇઝર, ઇલેક્ટ્રીક મેન્ટેનન્શ અને ડ્રાઇવરની જગ્યાઓ માટે ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. થી સ્નાતક કે અનુસ્નાતક સુધિની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, “બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવ્યુ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!