GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરના ઐતિહાસિક ટાવર ના રિનોવેશનની કામગીરી છ દિવસથી બંધ!? અવરજવર કરતા લોકોને ભારે હાલાકી.

સંતરામપુર નગરના ઐતિહાસિક ટાવર રોડ નું કામ છેલ્લા છ દિવસથી બંધ રોજબરોજ અવર જવર કરતા લોકોને ભારે હાલાકી વેચવાનો વારો આવ્યો.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર નગરમાં આવેલ એક માત્ર સ્ટેટ સમય નો એતિહાસીક ટાવર નું રીનોવેશન નું કામ લાખો રૂપિયાના ખર્ચે સંતરામપુર નગરપાલિકા દ્વારા કરાવાઈ રહેલ છે
આ ઐતિહાસિક ટાવરની વચ્ચે થી નાનાં મોટાં વાહનો અવરજવર કરતાં આવેલ છે.

 

આ ઐતિહાસિક ટાવરની મરામતની કામગીરીમાં ટાવરની વચ્ચે વાંસ નાં બંબુઓ ઊભા કરી ને પાલખ બનાવાયેલ છે.

પરંતુ છેલ્લા છ સાત દિવસ થી આ ટાવરની મરામતની કામગીરી સદંતર બંધ હોય ને ગમે તે કારણસર આ કામગીરી બંધ રહેતા ટાવર નીચે થી નાનાં મોટાં વાહનો ને અવરજવરમાં ત્રાસ ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને વાહનચાલકો ને તકલીફ પડે છે અને ટ્રાફિક જામ થઈ જાય છે.

તયારે આ મુશ્કેલી દુર કરવા માટે સંતરામપુર નગરપાલિકા તેની નીંદર ત્યજીને જાગીને આ ટાવરની મરામતની કામગીરીમાં સક્રિયતા દાખવી ને કામગીરી વહેલીતકે પુર્ણ કરાવશે ખરી???

Back to top button
error: Content is protected !!