BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર–માલણ–હાથીદ્રા–વિરમપુર માર્ગના નવીનીકરણનું કામ શરૂ કરાયું

12 જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ૧૨થી વધુ ગામના લોકોને મુસાફરીમાં મળશે રાહત.માર્ગ અને મકાન વિભાગ પાલનપુર હસ્તકના પેટા વિભાગ પાલનપુર દ્વારા એમ.ડી.આર. કક્ષાના પાલનપુર– માલણ– હાથીદ્રા– વિરમપુર માર્ગના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર અને વરસાદના કારણે ખાડા પડ્યા હતા, જેના પરિણામે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઇ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.આ માર્ગ અંબાજી હાઇવે સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે, જેનાથી પાલનપુર તાલુકાના આશરે ૧૨થી વધુ ગામો સીધા જોડાય છે. માર્ગના નવીનીકરણથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા વેપારીઓને મુસાફરીમાં સહેલાઈ થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.

Back to top button
error: Content is protected !!