NANDODNARMADA

રાજપીપળા સિંધિવાડ માં નજીવી તકરારમાં સાળાએ બનેવીને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો

રાજપીપળા સિંધિવાડ માં નજીવી તકરારમાં સાળાએ બનેવીને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કર્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા શહેરના સિંધિવાડ વિસ્તારમાં રહેતા એક ઈસમ પર તેનાજ સાળા એ નજીવી બાબતે ચપ્પુનાં ઘા મારી જીવલેણ હુમલો કરવાની ઘટના બનતા લોકટોળા એકઠા થયાં હતાં ત્યારબાદ ઇજાગ્રસ્ત ને રાજપીપળા સિવિલ માં લઈ જવાયો હતો

મળતી માહિતી અનુસાર રાજપીપળા સંધિવાડ વિસ્તાર માં રહેતા સમીરખાન નાશિરખાન બલુચ (૩૨) ને તેમના પત્ની સાઈમાંબાનું સાથે લગ્નમાં વડોદરા જવા બાબતે નજીવી બોલાચાલી થયા બાદ રિસાયેલી પત્ની એ તેમના ભાઈ સાકીર અયુબભાઇ સિંધી રહે.કાશીપુરા.વડોદરા નાઓ ને ફોન કરી રાજપીપળા તેની સાસરીમાં બોલાવતા તેણે રાજપીપળા આવી પોતાના બનેવી સમીર ખાન સાથે માથાકુટ કરી ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાયેલા સાળા એ સાથે લાવેલા ચપ્પુ વડે બનેવી ને ઉપરાછાપરી છ ઘા મારી દેતા ઘટના સ્થળે બૂમાબૂમ અને નાસભાગ થઈ હતી અને સ્થાનિકોના ટોળા ભેગા થતા ચપ્પુ મારનાર સાકીર જમાદાર ત્યાંથી નાશી ગયા બાદ ઇજાગ્રસ્ત લોહી લુહાણ સમીર બલૂચ ને સ્થાનિકો તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ આવ્યા બાદ આ બાબત ની જાણ રાજપીપળા પોલીસ ને કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!