SABARKANTHA

ઇડરના માથાસુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

*ઇડરના માથાસુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ*
*****
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના સેવા સહકારી મંડળી, માથાસુર ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના મહત્વના ખાતર એવા ઘનામૃત અને જીવામૃત વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આધુનિક યુગમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વપરાશને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ ઉપરાંત બીજામૃતનું મહત્વ અને ઉપયોગીતા વિશે વાત કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂતમિત્રો આ સીઝનમાં પોતાના ખેતરમાં થોડા ભાગમાં પણ પ્રાકૃતિક ખેતી શરૂ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!