આગરીયા ખાતે એન. એસ.એસ. શિબિરનું સફળ આયોજન.

યોગેશ કાનાબાર રાજુલા
શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ-રાજુલા દ્વારા નવા આગરીયા ખાતે એન. એસ.એસ. શિબિરનું સફળ આયોજન.
શ્રી જે. એ. સંઘવી હાઈસ્કૂલના એન.એસ.એસ. યુનિટ દ્વારા રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે એન.એસ.એસ. અન્વયે વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ, ભિંતસૂત્રોનું લેખન, સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ કેમ્પ દરમિયાન તારીખ 3/1/ 2025 ના રોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર-સાવરકુંડલાના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું આ સર્વરોગ નિદાન કેમ્પમાં 80 જેટલા દર્દીઓનુ નિદાન કરીને તેમને નિઃશૂલક દવાઓ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત તારીખ 5/1/2025 ના રોજ શ્રી નવકાર બ્લડ બેન્ક-મહુવાના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પમાં ગ્રામ્ય કક્ષાએ 25 યુનિટ જેટલું રક્ત એકઠું કરવામાં આવેલ હતું. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં શ્રી જે. એ.સંઘવી હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી બીપીનભાઈ લહેરી તેમજ આચાર્ય શ્રી જે.એમ.વાઘના માર્ગદર્શનમાં શાળાના એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર શ્રી એમ.એમ. નિમાવત તેમજ શાળાના મદદનીશ શિક્ષક શ્રી એચ.ડી. ગુજરીયા તેમજ શ્રી જે. એ. સંઘવી હાઇસ્કુલ શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
આ કેમ્પ દરમિયાન નવા આગરીયાના સરપંચ શ્રી વલ્લભભાઈ છોટાળા તેમજ સમગ્ર ગ્રામ પંચાયત પરિવાર અને શ્રી નવા આગરીયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો એ બદલ શ્રી જે એ સંઘવી હાઇસ્કુલ શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી





