IDARSABARKANTHA

ભિલોડા ચિઠોડા પાલ વિજયનગર રોડ પર ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની પેચવર્ક સહિતની કામગીરી કરવામાં આવી

ભિલોડા ચિઠોડા પાલ વિજયનગર રોડ પર ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની પેચવર્ક સહિતની કામગીરી કરવામાં આવી
**

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાન પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ભિલોડા ચીઠોડા પાલ વિજયનગર રોડ પર ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની પેચવર્ક સહિતની કામગીરી કરવામાં આવી.

જિલ્લામાં જે માર્ગો પર ખાડા પડવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં માર્ગ મરામત અભિયાન અન્વયે સમારકામ કામગીરી બનતી ત્વરાએ થાય તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!