HIMATNAGARSABARKANTHA

મોતીપુરા પ્રાથમિક શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી.

અહેવાલ:-  પ્રતિક ભોઈ

“સેવા પરમો ધર્મ “ના સુત્રને યથાર્થ કરનાર એવા ભાજપના પ્રદેશ પુર્વ સંગઠન મંત્રી,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે લાંબો સમય કાર્યકરનાર, સાબરકાંઠા ભારત સ્કાઉટ &ગાઈડ સંઘ ના ચીફ કમિશ્નર પરમ આદરણીય શ્રી અતુલભાઈ દીક્ષિત એ જન્મ દિવસ ની ઉજવણી મોતીપુરા પ્રાથમિક શાળા ના ભૂલકાઓ સાથે કરી. માનવ જીવન ઇશ્વરની અણમોલ ભેટ છે. ધરા અવતરણ દિવસ તેના જીવન માટે યાદગાર બની રહેતો હોય છે. તેમના દ્વારા શાળાના બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા. મોતીપુરા પ્રાથમિક શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી. આ તબક્કે શાળાના આચાર્ય તથા જિલ્લા ટ્રેનિગ કમીશ્નર ગાઈડ વૈશલિબેન પટેલ અને સ્ટાફ ઘ્વારા શુભેચ્છા પાઠવી હતી. બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી યાગદાર બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!