SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનરએ લહેરચંદ કુવરજી પુસ્તકાલયની લીધી મુલાકાત

UPSC તથા GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

તા.11/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

UPSC તથા GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે આજરોજ જોરાવરનગર સ્થિત મહાનગરપાલિકા સંચાલિત લહેરચંદ કુવરજી પુસ્તકાલયની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું અને UPSC તથા GPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો વધુમાં તેમણે વિદ્યાર્થીઓને તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને તેમનું મનોબળ વધાર્યું હતું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરએ લાઇબ્રેરીમાં વધુ આધુનિક અને અભ્યાસ માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા તથા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમને તેમની કારકિર્દી ઘડતરમાં સફળતા મેળવવા પ્રોત્સાહન આપ્યું હતું સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ઉચ્ચકક્ષાની સિવિલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુને વધુ વિદ્યાર્થીઓ સફળ થાય અને તેમની કારકિર્દીનું ઘડતર કરે તે માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે તેમ જણાવતા મહાનગર પાલિકા શૈક્ષણિક સંસાધનો અને વાતાવરણને વધુ સુદ્રઢ બનાવવા માટે સતત પ્રયાસરત રહેશે તેમ ઉમેર્યું હતું.

Back to top button
error: Content is protected !!