
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એબીપી અસ્મિતા આયોજીત ‘‘વિકાસ સપ્તાહ’’ વાર્તાલાપ-સંવાદ યોજાયો
આદિજાતિ વિકાસ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી
રાજપીપલા : જુનેદ ખત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઇને રાજ્યના વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. જેના ઉપલક્ષમાં રાજ્યભરમાં ૭ થી ૧૫ ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસનના ૨૩ વર્ષના ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહ તરીકે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવે છે. રાજ્યના ૨૩ આઇકોનિક સ્થળોએ પદયાત્રા અને ટોક શોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશ્વ પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ૧૮૨ મીટરની બનાવીને ‘‘એક ભારત શ્રેષ્ટ ભારત’’ અને સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપનને સાકાર કર્યુ છે. આ સ્થળે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે SOU આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રાકૃતિક સૌદર્ય અને સરદાર સરોવર ડેમ સહિત વિવિધ પ્રકલ્પો સાકાર કર્યા છે.
આજે તા. ૧૧/૧૦/૨૦૨૪ના રોજ એકતાનગરને આંગણે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર એબીપી અસ્મિતા વિકાસ સપ્તાહ ટોક શોમાં પધાર્યા હતાં. SOUના સીઈઓ ઉદિત અગ્રવાલે મંત્રીને ઉષ્માભેર આવકાર્યા હતાં. ત્યારબાદ મંત્રીએ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી ફોટો ગેલેરીની મુલાકાત લીધી હતી અને વી.આઇ.પી લોન્જ ખાતે તેમણે વિઝિટર બુકમાં પોતાનો અભિપ્રાય લખી સરદાર સાહેબના કરેલા કાર્યો અને દેશ માટે સમર્પણ અને બલિદાનની સરાહના કરી હતી. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને સંગઠનના કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતાં. આ પ્રસંગે મંત્રીજીને એડીશનલ કલેક્ટર ગોપાલ બામણીયા દ્વારા સરદાર સાહેબની પ્રતિમા સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી અને નાયબ માહિતી નિયામકશ્રી મછારે કોફીટેબલ બુક સ્મૃતિ રૂપે અર્પી હતી.
સરદાર સાહેબ પ્રદર્શની ગેલેરીમાં કેટલાક પ્રવાસીઓ રસપૂર્વક પ્રદર્શની નિહાળી રહ્યા હતા સાથે-સાથે પ્રદર્શની અને સરદાર સાહેબની પ્રતિમા આગળ તસ્વીર ખેચાવતા હતા ત્યારે આસામના ગુહાટી થી ગુજરાતના પ્રવાસે આવેલા એક ગૃપ ઉપર નજર પડતા તેમની પૃચ્છા કરતા આસામના પ્રવાસી એવા વાઇસ ચાન્સલર પ્રદુત્તકુમાર ગોસ્વામી અને મેડીકલ કોલેજના પ્રોફેસર ડૉ. ઉષા શર્મા, ડૉ. અનુરાધા દેવ અને અનિલ શર્મા સાથે આકસ્મીક મુલાકાત થતાં તેઓ પણ મંત્રીને મળ્યા હતાં અને આસામ અને ગુજરાત વિશેના તેમના સંસમરણો યાદ કરી ભાવપૂર્વક સંવાદ કરીને પ્રવાસીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો. અચાનક શિક્ષણ મંત્રીની મુલાકાત થી તેઓ પણ ભાવ વિભોરબન્યા હતાં.
 
				






