SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
******
સરકારી કચેરીઓમાં સરકારની છબી દેખાય છે તેથી તમામ સરકારી કચેરીઓ સ્વચ્છ હોવી જોઇએ
– કલેક્ટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણ
*******

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક નવનિયુક્ત કલેક્ટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
પ્રથમ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી એ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકારી કચેરીઓમાં સરકારની છબી દેખાય છે તેથી તમામ સરકારી કચેરીઓ સ્વચ્છ હોવી જોઇએ. પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ, સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નો ના જવાબ સમય મર્યાદામાં આપવા ખાસ જોવા અનુરોધ કર્યો હતો.
વધુમાં કલેક્ટરશ્રી એ જણાવ્યું કે, કર્મચારી વેલ્ફેર તેમના પેંશનના પ્રશ્નો સત્વરે ઉકેલવા, જિલ્લામાં સરકારી લેણાની વેરાવસુલાત ઝડપી બને તેમજ વસુલાતમાં આવતા વિલંબના કારણોની નોંધ કરવા જણાવ્યું હતું.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાએ નેશનલ હાઇવે, સર્વિસ રોડ, ટ્રાફિકની સમસ્યા, મેડિકલ કોલેજમાં સ્વચ્છતા, સ્ટાફ , ઇમર્જંસીમાં ફરજ બજાવતા ડોક્ટર, મેડિકલ કોલેજમાં સી.ટી સ્કેન મશીન, નગરપાલીકા વિસ્તારમાં હુડા, અને ગટરવ્ય્વસ્થા, શહેરના રસ્તા જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ આદિજાતી વિસ્તારનામાં મનરેગાની કામગીરી, સ્વચ્છતા, આંગણવાડી અંગે પ્રશ્નો રજુ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વીજય પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી. પાટીદાર, પ્રાયોજના વહિવટદારશ્રી વિશાલ સક્શેના, તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!