
તા.૭.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ માં મજૂર કામદારનું બાંધકામ ના સ્થળે ધાબા પરથી નીચે પડી જતાં ગુપ્તાંગ ના ભાગમાં લોખંડનો સળિયો આરપાર થઈ જતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારી દ્વારા તેને નવજીવન મળ્યું
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૦૭:૧૨ કલાકે ગામ:- મુવાલીયા તા.જી.દાહોદ નો કેસ માટે ૧૦૮ ઇમર્જન્સી ને કૉલ મળ્યો હતો સમય નો વિલંબ કર્યા વગર દાહોદ-૧ લોકેશન ઈ એમ આર આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ એમ્બયુલન્સ દર્દી ને લેવા માટે મુવાલિયા ગામ (ચોર ફળીયા)માં ટૂંક સમય માં પહોંચી ગયા હતા જ્યાં સીન પર પહોંચીને દર્દીને તપાસ કરતા માલુમ પડ્યું કે 32 વર્ષીય વાઘજીભાઈ શૈલેષભાઇ મોહનિયા જે સાંજે ના સમયે મકાનનું બાંધ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મકાનના અગાશી પરથી નીચે પડી જતા તેમના પેટ ના ભાગ થી લઇ ને ગુપ્તાંગ ના ભાગ સુધી લોખંડનો સળીયો આરપાર ઘૂસી ગયો હતો સ્થળ પર પહોંચેલા પ્રાથમિક સારવારનાં નિષ્ણાત EMT સુશીલાબેન પટેલ તથા પાયલોટ નિલેશભાઈ રાઠોડ એ હેડ ઓફિસ ની ટ્રેનિંગ નો સદઉપયોગ કરતા સળિયા ને હલાવીયા વગર તેને ઇલેક્ટ્રિક કટર વડે સળિયા ને કાપી ને સળિયા સહીત યોગ્ય ડ્રેસિંગ સીન પર કરીને વધારે સમય ના બગાડતા પેસન્ટ ને જરૂરી સારવાર આપતા જાય ને દાહોદ જિલ્લા ની મોટી હોસ્પિટલ ઝાયડસ ખાતે દાખલ કરવામાં આવ્યું હતો અને ઝાયડશ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર કરવામાં આવી હતી જેના કારણે દર્દીની જીવ બચી ગયો હતો તે બદલ તમામ હાજર લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ ની સેવાની કામગીરીને બિરદાવી હતી



