
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહએ અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની માંગણીને લઇ મુખ્યમંત્રીને રજુઆત કરી
રાજ્ય સરકારના મંત્રી અને આપણા મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી સાહેબ મુખ્યમંત્રીજી સામે જાહેરમાં આખા અરવલ્લી જિલ્લાના દિલની લાગણી વ્યક્ત કરી હતી.. અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની ન હોવાથી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને એક કાગળ માટે પણ 200 કિમી દૂર પાટણ સુધી ધક્કા ખાવા પડે છે..એમાંય એક ધક્કે કામ પત્યું તો ઠીક બાકી પૈસા અને સમયનો વ્યય થાય.પરંતુ પોતાના પ્રવચનમાં જે રીતે માત્ર મોડાસા જ નહીં સમગ્ર અરવલ્લી જિલ્લાના દિલની વાત કરી દીધી હતી આ વાત સાંભળી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ પણ જાહેર મંચથી મંત્રી સાહેબની માંગણી ને ગંભીરતાથી લીધી અને અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી આપવા માટે વિચારણાનું આશ્વાસન પણ આપ્યું હતું




