
વિજાપુર રાવતવાસ ના યુવકના મોત ને મામલે સાત માંથી પાંચને પોલીસે ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાવત વાસ મા ઉતરાયણ પર્વ મા થયેલ ઝગડા મા રાવત વાસ ના યુવકનુ અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેના મામલે પોલીસ મથકે સાત ઈસમો સામે ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે તે સમયે આરોપી ની કોઈ ધરપકડ ની કાર્યવાહી નહી કરતા રાવત સેનમા સમાજ ના લોકો રોષ ઊભો થયો હતો. જેને પગલે પોલીસ સક્રિય થઈ ફરતા સાત આરોપી ઓને પકડવા પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ જેમાં પોલીસે જુદાજુદા સ્થળો ઉપર છુપાયેલ પાંચ આરોપીઓ ને શોધી ઝડપી પાડવા મા આવ્યા હતા જેમાં અશોક બળદેવ ભાઈ રાવળ તેમજ પ્રકાશ કિરણ રાવળ તેમજ પૂનમ વિઠ્ઠલ ભાઈ રાવળ તેમજ વિશાલ રાવળ તેમજ આકાશ કિરણ ભાઈ રાવળ સહિત પોલીસે પાંચ ને ઝડપી પાડી કાયદેસરની જાપ્તા હેઠળ મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સાત પૈકી ના બે આરોપીઓ ચેતન અમૃત ભાઇ રાવળ અને વિજય વિઠ્ઠલ ભાઈ રાવળ ને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.



