BAYADGUJARAT

બાયડ ખાતે સફાઈ કર્મીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

બાયડ ખાતે સફાઈકર્મીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી
દેશને સ્વચ્છ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.

આ વર્ષ સફાઈ અભિયાનની સાથે સફાઈમિત્રો માટે આરોગ્ય કેમ્પની વ્યવસ્થા કરવા અને તેમને શક્ય એટલી તમામ યોજનાઓના લાભ મળે તે અંગે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત બાયડ ખાતે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્વચ્છતા કર્મીની આરોગ્ય તપાસ કરી જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

૦૦૦૦૦

Back to top button
error: Content is protected !!