
તા.૧૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં ઉતરાયણ પર્વ ની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકા માં આવેલી એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળા માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ને પતંગો નું વિતરણ કરવામાં આવ્યું હતું.શાળા ના આચાર્ય સોલંકી અંકિત મનુભાઈ એ ઉતરાયણ પર્વનું મહત્વ સમજાવ્યું હતું અને સાથે પતંગ ચગાવતી વખતે શું કાળજી અને સાવચેતી રાખવી જોઈએ તેની સમજણ આપી.પક્ષીઓ ને નુકસાન ના થાય તેવા સમય અને તેવી રીતે પતંગ ચગવાવી તેવી માહિતી આપી હતી.




