
તા.૨૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ દેલસર પ્રાથમિક શાળા ખાતે લીગલ ડીપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
બાળકોના ઘડતરમાં શિક્ષકોની સાથે માતાપિતાનો પણ અગત્યનો ફાળો હોય છે.-સેક્રેટરી પ્રકાશ મોદી દાહોદ તાલુકાના દેલસર પ્રાથમિક શાળા ખાતે લીગલ ડીપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશ માટે નવા આવેલ નાનકડાં ભૂલકાઓએ આંખો બંધ કરી બેઉ હાથ જોડી પોતાના પ્રવેશ માટે આભાર માનવાની સાથે આવનાર ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે પ્રભુપ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બળ વાટિકાના તેમજ ધોરણ ૧ ના બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકામાં ૧૯ કુમાર અને ૨૦ કન્યાઓ તેમજ ધોરણ – ૧ માં ૬ કુમાર અને ૧૧ કન્યાઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો
આ સમયે સી.ઇ.ટી., એન.એમ.એમ.એસ., ગણિત-વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ સહિત શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર અને ૧૦૦ ટકા હાજરી આપનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. એ સાથે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી અવગત કરાયા હતા. ઉદાહરણ સહિત આપી પોતાના ઘરે સૌને હેલ્મેટ ફરજીયાતપણે પહેરવા માટે કહેવા જણાવ્યું હતું. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ લીગલ ડીપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પ્રકાશ મોદીએ પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે, શાળાના શિક્ષકો અને સરકાર તમામ પ્રકારે બાળકોના અભ્યાસ માટે સતત પ્રયત્ન શીલ રહે જ છે પણ સાથોસાથ માતાપિતાએ પણ સતર્ક અને જાગૃત બનીને પોતના બાળકોના અભ્યાસ તરફ પુરતું ધ્યાન આપે એ ખુબ જ જરૂરી છે, બાળકોના ઘડતરમાં શિક્ષકોની સાથે માતાપિતાનો પણ અગત્યનો ફાળો હોય છે. જેથી કરીને બાળક પોતાનું ભવિષ્ય સુધારી શકે છે 



