BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

કબીરવની છત્ર છાયામાં મંગલેશ્વર ખાતે કથા યોજાશે, મોરારીબાપુ હેલિકોપ્ટરથી મંગલેશ્વર ખાતે પહોંચ્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે.ત્યારે 3જી જાન્યુઆરીના રોજ મોરારીબાપુએ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતાં. ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

ભરૂચ જિલ્લામાં 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે કબીરવડની છત્ર છાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થનાર છે.જેના ભાગરૂપે મોરારીબાપુ એક દિવસ પહેલા એટલે 3 જી જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલિપેડ પર આવી પહોંચ્યા હતા.જ્યાં ગ્રામજનો અને બહારથી આવેલા ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતોં.આવતી કાલે 4 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી પોઠી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે.ત્યાર બાદ 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરરોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!