ARAVALLIBAYADGUJARAT

બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે મંત્રી કુબેરભાઈ ડીંડોર ની ઉપસ્થિતિમાં સ્નેહ સમારંભ યોજાયો

કિરીટ પટેલ બાયડ
.
અરવલ્લીના બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે માનનીય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતીમાં યોજાયો સ્નેહ સમારંભ

*અરવલ્લી જિલ્લાના માધ્યમમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવનિયુક્ત આચાર્યશ્રીઓનો સ્નેહ -સન્માન સમારંભ યોજાયો
અરવલ્લી જિલ્લાના માધ્યમમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓનો સ્નેહ – સમારંભ
માનનીય શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો.અરવલ્લી જિલ્લામાં નવનિયુક્તિ પામેલ 60 જેટલા આચાર્યોનો સ્નેહ સન્માન સમારંભ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીએ સંબોધન કરતા કહ્યું કે, શિક્ષક અને શિક્ષણ અત્યારના સમય પ્રમાણે ખૂબ જ જરૂરી છે.
આજે વિદ્યાર્થીઓના હાથમાં ટેકનોલોજી ના સાધનો તો આવી ગયા છે. પણ કેટલો સમય તેનો ઉપયોગ કરવો તે એક વિકટ પ્રશ્નો બની રહ્યો છે. પરંતુ શિક્ષક એ સમાજમાં નવી ક્રાંતિ લાવી શકે છે. વિદ્યાર્થીઓની નજીક રહેતા શિક્ષકો જીવનના નવા પાઠ અને તેમના વિચારોની કેવી રીતે કેળવણી કરવી તેની સમજ આપી શકે છે. કોઈપણ પ્રકારનું શિક્ષણ એ શ્રેષ્ઠ જ હોય છે. પરંતુ શાળાના આચાર્યના હાથમાં શિક્ષક,શિક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે શાળાને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવી તે શ્રેય ચોક્કસથી રહેલો હોય છે.’
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર એન કુચારા, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્ચના એમ ચૌધરી, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી આર કે પટેલ, ડોક્ટર મહેન્દ્રભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી, સ્નેહલભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી, ગાયત્રીબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ આચાર્યશ્રીઓ તેમજ ગાયત્રી પરિવારના સૌ ઉપાસકો ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!