GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સ્વિપ અંતર્ગત જસદણમાં મતદારને મતદાન કરવા જાગૃત કરતી વિશેષ ડ્રાઈવ
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા, જેમાં ભાગ લેવાનો તમામ નાગરીકનો હક્ક છે. તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
૭૨ – જસદણ વિધાનસભા મત વિસ્તારમાં જસદણ ખાતે આનંદધામ સોસાયટી અને સરદાર સોસાયટીના રહીશોએ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા તથા પરિવારના સૌ સભ્યો સાથે મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
જસદણ નગરપાલીકા દ્વારા ડોર-ટુ-ડોર વાન દ્વારા મતદાન જાગૃતિનું અભિયાન થકી મતદારોને મતદાન કરવા પ્રેરીત કરવામાં આવી રહ્યા છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.