DAHOD

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખાતે જનરલ હોસ્પિટલ દ્રારા ચાલતા બાળ સંજીવની કેન્દ્ર NRC માં જનરલ નર્સિંગ સ્કૂલના વિધાર્થીઓ દ્રારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી

તા.૦૬.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખાતે જનરલ હોસ્પિટલ દ્રારા ચાલતા બાળ સંજીવની કેન્દ્ર NRC માં જનરલ નર્સિંગ સ્કૂલના વિધાર્થીઓ દ્રારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખાતે જનરલ હોસ્પિટલ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ WHO ની ૨૦૨૫ ની થીમ પર વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. “સ્તનપાનને પ્રાથમિકતા આપો: સ્થિર આધાર વ્યવસ્થાઓ ઊભી કરો” માતાનું ધાવણ પહેલાં છ મહિના સુધી શિશુ માટે સંપૂર્ણ આહાર છે.માતાનું ધાવણ શિશુને ન્યુમોનિયા તેમજ ઝાડા જેવી જીવલેણ બીમારીઓથી બચાવે છે. તેમજ ભવિષ્યમાં શિશુને સ્થૂળતા લોહીનું ઊંચું દબાણ અને ડાયાબિટીસ જેવા અન્ય રોગો થવાનું જોખમ ઘટાડી શિશુના શારીરિક અને ભૌતિક વિકાસમાં મદદરૂપ બને છે.માતાને સ્તન તેમજ ગર્ભાશયનું કેન્સર થવાના જોખમોને પણ ઘટાડી માતાને બાળકના જીવનભરના સ્નેહ ભર્યા સંબંધોને પ્રોત્સાહન આપે છે દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને શિશુના જન્મ પહેલા એક કલાક દરમિયાન સૂચક સફળ સ્તનપાનની સાચી શરૂઆત પહેલું પીળું ઘટ્ટ ધાવણથી શિશુના આરોગ્યને થતા ફાયદા જન્મ પછી તરત જ નવજાત શિશુને એક કલાક સુધી શિશુને માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે અને ૨૪ કલાક શિશુને માતા સાથે જ રાખવું માતા અને શિશુના સ્કીન ટુ સ્કીન કોન્ટેક દ્વારા શિશુના વિકાસમાં થતા ફાયદા વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા માતાઓને બાળક માટે સ્તનપાન ના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ ના સંચાલિત નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ચાર્ટ દ્વારા તથા પેપર શો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું લાભાર્થીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યા તથા સંજીવની કેન્દ્ર NRC દ્રારા NRC ના લાભાર્થીને સેનેટાઇઝ કિટનું વિતરણ કરવામાં આવ્યું આ ઉજવણીમાં ઝાયડસ હોસ્પિટલના મેડિકલ સુ.પ્રી ડો.સુનીતા મેમ નર્સિંગ સ્કૂલના ઇન.પ્રિન્સિપાલ નિકિતાબેન નીનામા NRC વિભાગના ન્યુ આસિસ્ટન્ટ ઝૂલીબેન પરમાર અને સિવિલ હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!