નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના વિધાર્થીઓએ ચકલી ઘર બનાવ્યા…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૦/૦૩/૨૦૨૪
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં અભ્યાસ કરતા અને પર્યાવરણ પ્રેમી બાળકો વિધાર્થીઓએ કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલ અને કુમાર શાળાના આચાર્ય અનિતાબેન વસાવા અને તેઓ ના સ્ટાફની પ્રેરણાથી આવનાર દિવસોમાં પડનાર કાળઝાળ ગરમીથી ચકલીઓ સહિત અન્ય પક્ષીઓ રક્ષણ મેળવી શકે એ માટે અલગ અલગ પ્રકારના અનેક ચકલી ઘરો બનાવવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓએ શાળા તેમજ તેમના ઘરો પાસે અલગ અલગ જગ્યાએ આ ચકલી ઘરો લગાવી ઉત્તમ કામગીરી કરી છે.