DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રા તાલુકાની વિરેન્દ્રગઢ કેનાલ પાસે મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલી એક આરોપી ઝડપાયો.

તા.09/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામ પાસે તારીખ 6 મેના રોજ વહેલી સવારે કેનાલમાં એક અજાણ્યા યુવકની કોથળામાં પુરેલી લાશ તરતી હાલતમાં મળી હોવાની વિગતો સાથે જ ધ્રાંગધ્રા સહીત જિલ્લા એલ.સી.બી અને એસ.ઓ.જી. પોલીસ સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસમાં હતી ત્યારે અજાણ્યા 40 વર્ષીય પુરુષ બાબતમાં સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કરવા સાથે આજુબાજુનાં ગામોમાં જઈને પૂછપરછ કરતા મૃતક યુવાન જેસડા ગામમાં ખેત મજૂરી કરતા મહાદેવભાઈ ઠાકોર હોવાની વિગતો મળ્યા બાદ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી હતી જેમાં વાડીની જમીનના માલિક બળદેવભાઈ છેલાભાઈ ભરવાડની લાંબી પુછપરછ કરતા આરોપીએ ભાંગી પડી ગુનો કબૂલ્યો હતો જેમાં આડા સબંધનું પાપ છાપરે ચઢી પોકારે એમ પોતાની પત્ની સાથે જમીન માલીકના આડા સંબંધો મજૂર તેમજ માલિક વચ્ચે રોજના ઝઘડાઓનું કારણ બન્યા હતા જેમાં 4 તારીખે થયેલા ઝગડામાં આરોપીએ મહાદેવભાઈ ને માથાના ભાગે તિક્ષ્ણ ઘા મારી હત્યા નીપજાવી હતી ત્યારબાદ લાશના પગ બાંધી કોથળામાં પુરીને કેનાલમાં નાખી દીધી હતી પોલીસ દ્વારા માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં ધ્રાંગધ્રાના જેસડા ગામના બળદેવભાઈ છેલાભાઈ ગમારાએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતુ આ સમગ્ર ઘટના મામલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આમાં અન્ય સંડોવણી બાબતે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મૃતક દસાડા તાલુકાના છત્રોટ ગામના રહેવાસી છે અને એમના નાનાભાઈ સુરત હીરા ઘસે છે અને મૃતકની ઓળખાણ નાનાભાઈએ જ કરી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!