DASADAGUJARATSURENDRANAGAR

પાટડીના ખેરવા ગામમાં નર્મદાના હજારો ક્યુસેક પાણીનો બેરોકટોક વેડફાટ થતાં ગામજનોમાં રોષ ફેલાયો.

તા.10/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ખેરવા ગામમાં નર્મદાના હજારો ક્યુસેક પાણીનો બેરોકટોક વેડફાટ જોવા મળી રહ્યો છે ગામમાં ભરઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયેલો જોવા મળે છે એમાંય ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણીના ભારે ભરાવાના કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ અને એમના સગા વહાલાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે પાટડી તાલુકાના ખેરવા ગામે સીમમાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની ડિસ્ટ્રીબ્યુટરી ડી-6ના અધૂરા કામને લીધે કેનાલમાંથી હજારો લિટર પાણીનો વ્યય થાય છે જે પાણી ખેરવા ગામના બસ સ્ટેશનમાંથી પસાર થઈ નીકળે છે જેના લીધે સમગ્ર ખેરવા ગામમાં પાણીની રેલમછેલ જેવો ગોઝારો ઘાટ સર્જાયો છે જેના લીધે વાહન અવર જવરમાં તથા લોકોને પણ ઘણી હાલાકી ભોગવી પડે છે ખેરવા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાઈ રહે છે જેના લીધે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને એમના સગા વહાલાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવે છે આ પાણીના લીધે ગામમાં પાણીજન્ય રોગનો ખૂબ જ ભય રહેલો છે પરંતુ તંત્ર ના ધ્યાને આવતું નથી. ગામમાંથી નીકળતું આ પાણી જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે સમગ્ર ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે આ અંગે ખેરવા ગામના યુવા સરપંચ જીગ્નેશભાઇ રાઠોડ઼ે આક્રોશ સાથે જણાવ્યું કે આ અંગે તંત્રને અનેકો વખત રજૂઆત કરવાનું છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ના ધરાતા ખેરવા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!