સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનીજ વહન કરતા વાહનોને ફરજીયાત જીપીએસ સિસ્ટમ લગાવવા આદેશ
તા.01/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ધ્રાંગધ્રામાં પથ્થર, થાન-મૂળી પંથકમાં કાર્બોસેલ અને સફેદ માટી, સાયલામાં કાળો પથ્થર તથા જિલ્લાની મોટાભાગની નદીઓમાં રેતી સહિતની ખનીજ સંપત્તિ આવેલી છે આ ખનીજ કાઢવા માટે ખાણખનીજ ખાતા દ્વારા પરવાના આપવામાં આવે છે પરંતુ તેમ છતાં નિયમોની ઐસીતૈસી કરીને ખનીજ માફિયાઓ મનફાવે ત્યાં ખોદકામ કરીને બેફામ ખનીજની ચોરી કરી રહ્યા છે આના માટે ખાણખનીજ ખાતુ અને પોલીસ સમયાંતરે દરોડા પાડે છે છતાં ખાણિયા રાજાઓ ખનીજની ચોરી કરી રહ્યા છે. પૈસાના જોરે ખનીજ ચોરો એટલા બધા જોરાવર બની ગયા છે કે ચેકિંગ માટે જતા અધિકારોઓ ઉપર પણ હુમલા કરતા ખચકાતા નથી આવા સમયે ખનીજની ચોરી કરનારાઓને કાબૂમાં લેવા તે ખૂબ જરૂરી બની ગયું હોવાથી સરકારે ખાસ આયોજન કર્યું છે જેમાં ખાણખનીજ ખાતા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજના વહન માટે જેટલા પણ વાહનો ચાલે છે તે તમામ વાહનનું રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત કરી દીધું છે બાદમાં આ તમામ વાહનોમાં આગામી તા. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં GPS સિસ્ટમ લગાવવાની રહેશે ખાણખનીજ ખાતાએ કરેલા આ નિર્ણયથી ખનીજ ચોરી ઉપર કાબૂ મેળવી શકાશે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.