સુરેન્દ્રનગર સિલ્વર જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાબળા વિતરણ કરવામાં આવ્યાં.
તા.22/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નાના બાળકો માટે કપડાં અને પ્રસાદીમાં મોતીચૂર નાં લાડવાનું વિતરણ કરાયું હતું.જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા તેમજ દિપ્તીબેન જયેશભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈનાં સહયોગથી શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાબળા, નાના બાળકો માટે કપડાં અને પ્રસાદીમાં મોતીચૂર નાં લાડવાનું વિતરણ રાખવામાં આવ્યું હતું જેમાં વઢવાણનાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, વિરેન્દ્રભાઈ આચાર્ય, સિલ્વર ગ્રુપનાં પ્રેસિડન્ટ કૃણાલભાઈ મહેતા તેમજ જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરનાં કારોબારી મેમ્બર શ્રેણિકભાઈ શાહ, કુનાલ બાવિસી, અલ્પેશભાઈ દેસાઈ, પ્રતીક શાહ, પંકિલ ધોળકિયા, સુનીલ દોશી, ગુંજન સંઘવી, નીખીલેશ શાહ, નિમેષ શાહ, રિપલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!