GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એલસીબી પોલીસે બે દુકાનદાર અને બે ગોડાઉન મેનેજર ની અટકાયત કરી અલગ અલગ જેલ મા મોકલી આપ્યા

તારીખ ૦૪/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયાંતરે દૂકાનો અને ગોડાઉન ના ચેકીંગ કરવામાં આવી રહ્યા છે પોતાનો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી જાહેર જનતાને સોશિયલ મીડિયા દ્વારા અપૂરતું અનાજ મલે કે કોઇ દુકાનદાર સામે ફરિયાદ હોય તો સીધો સમ્પર્ક કરવા આહવાન પણ આપેલ છે ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગ ના ગોડાઉન મા સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળેલ કાલોલ ખાતે થી ૩૦૦૦ કટ્ટા વધુ જોવા મળેલ અને શહેરા ખાતે ૨૫૦૦ કટ્ટા સ્ટોક કરતા વધુ જોવા મળેલ જેથી કાલોલ અને શહેરા ખાતે ના બન્ને ગોડાઉન મેનેજર અને મોરવા હડફ ના બે દુકાનદારો મળી કુલ ચાર ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમ ની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે ચારેવ ઇસમોની અટકાયત કરી હતી જેઓ પૈકી મહેશભાઈ રલિયાભાઇ રાઠવા ને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોર ને જૂનાગઢ જેલ, જીવણભાઇ બાબુભાઈ ને જામનગર જેલ અને લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલમાં મોકલી આપતા સરકારી અનાજ ના કાળા બજાર કરતા તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!