GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયુ

તા.૧૮/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જાહેર માર્ગ, બગીચા, સર્કલો, શૌચાલય સહિતની સફાઈ કામગીરી કરાઈ

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હાલ સમગ્ર રાજ્યમાં “સ્વચ્છતા અભિયાન” ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે ભાયાવદર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન (Segregated Today, Shine Tomorrow)” અંતર્ગત આજરોજ દૈનિક કામગીરીના ભાગરૂપે GVP, વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો, ગાર્ડન,ફુટપાથની તેમજ પબ્લિક ટોઇલેટ, અને સર્કલોની સઘન સફાઇ કરવામાં આવી હતી.

સફાઈ કર્મીઓ દ્વારા જાહેર રસ્તા પર નકામો કચરો, પ્લાસ્ટિકની કોથળીઓ એકત્રિત કરી નિકાલ કરવામાં આવ્યો હતો. બગીચામાં વેરાયલ સૂકા પાંદડાનું એકત્રીકરણ કરી તેને દૂર કરી બગીચાને નયનરમ્ય બનાવી દીધો હતો.

રાજકોટ જિલ્લામાં ભાયાવદર નગરપાલિકા સહીત અન્ય નગરપાલિકાઓમાં પણ વિશેષ “સ્વચ્છતા અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!