GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દરગાહ સહિત મંદિરોના બાંધકામો તંત્ર દ્વારા તોડી પાડયા

મજેવડી ગેટ પાસે આવેલી દરગાહ તથા તળાવ દરવાજા નજીક આવેલ જલારામ મંદિર તંત્ર દ્વારા રાતો રાત તોડી પડાયા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીન પર કરાયેલા ધાર્મિક સ્થળોના દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા મોડી રાત્રે મજેવડી ગેટ નજીક આવેલ દરગાહને તોડી પાડવામાં આવી હતી. તો બીજી તરફ તળાવ દરવાજા નજીક આવેલા જલારામ મંદિરને પણ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા દ્વારા સરકારી જમીન પર કરાયેલા ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર દબાણો હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે જુનાગઢ એસપી દ્વારા જિલ્લાની તમામ પોલીસને જુનાગઢ હેડ ક્વાર્ટર ખાતે તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી. અને દરગાહ ડીમોલેશન મામલે પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારે જુનાગઢ એસપી સહિત તમામ ડિવિઝનના ડીવાયએસપી, જિલ્લાના તમામ પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફને દરગાહ ડીમોલેશનના બંદોબસ્તને લઈ તૈનાત કરવામાં આવ્યા હતો તો બીજી તરફ જુનાગઢ એસપી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
અને જુનાગઢ તરફથી આવતા, જતા તમામ રસ્તાઓ ત્રણથી ચાર કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.અને મજેવડી ગેટ તરફ આવતા વાહનોને બાયપાસ તરફથી રવાના કરવામાં આવ્યા હતા.
ત્યારે તંત્ર દ્વારા મોડી રાત્રીથી ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા કામગીરીને સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!