નબીપુર પોલીસ સરેશન ખાતે લૉન અંગેનો સેમિનાર યોજાયો, ભરૂચ એક્સિસ બેંકના અધિકારી હાજર રહયા, નબીપુરના પી.એસ.આઈ.એ લોકજાગૃતિ અંતર્ગત સેમિનારનું આયોજન કરાવ્યું.
સમીર પટેલ, ભરૂચ
હાલમાં સમાજમાં લૉન ની જરૂરિયાતો સામે લોકોને વ્યાજખોરો ની વિપડાઓ વધી ગઈ છે. જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી.એસ.આઈ. *કે.એમ.પીએઝા* ની અધ્યક્ષતામાં ગઈકાલે *તારીખ ૨૭/૧૨?૨૦૨૪ ને શુક્રવારે* એક લૉન સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં તેમના દ્વારા ઉપસ્થિતો ને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાત મંદો ને લૉન ની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજ દરે લૉન લઈ લે છે અને પછી વ્યાજખોરો ના ભરડામાં આવી કેટલીકવાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી. પણ આવા જરૂરિયાત મંદ લોકો જો તેમને જ્યારે લૉન ની જરૂર પડે તો તેઓ સીધો બેંકોનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લૉન લઈ વ્યાજખોરો ના ભરડામાં ના આવવા સમજ અપાઈ હતી. આવા વ્યાજખોરોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે તેવું તેમનું કહેવું હતું. આ સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર રહયા હતા. નબીપુર ના પી.એસ.આઈ.એ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેંકના મેનેજર અને ઉપસ્થિત મેડનીનો આભાર વ્યક્ત કર્યો હતો.