અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના યાત્રાળુઓ દ્વારા શ્રીનગરથી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકનો આભાર માનવામાં આવ્યો, તમામ યાત્રાળુઓ સલામત
*અરવલ્લી જિલ્લાના શ્રીનગર યાત્રીઓની સુરક્ષા અને કલેક્ટરશ્રીના સફળ પ્રયાસો*
અરવલ્લી જિલ્લામાંથી શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રીઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવવામાં આવે છે. શ્રીનગરના વહીવટી તંત્ર સાથે સંકલન કરી, કલેક્ટરએ યાત્રીઓની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધાં. આ પ્રયાસોના પરિણામે, અરવલ્લી જિલ્લાના તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે.વિડીઓમાં યાત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે, શ્રીનગરના વહીવટી તંત્ર દ્વારા પણ યાત્રીઓને મદદ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં, અને અમે સ્વેછાએ અન્ય જગ્યાએ રોકાયા છીએ.અને આ તમામ પ્રયાસોમાટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રનો યાત્રીઓ આભાર વ્યક્ત કરે છે. કલેક્ટરશ્રીના સફળ નેતૃત્વ અને સમયસર નિર્ણયોને કારણે આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ. જિલ્લા વહીવટી યાત્રીઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.અરવલ્લી જિલ્લાના નાગરિકો અને યાત્રીઓ વતી કલેક્ટર પ્રશસ્તિ પારિક અને શ્રીનગર વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર. આ સહયોગ અને સમર્પણ દરેક નાગરિકની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.અરવલ્લી જિલ્લાવાસીઓને વિનંતી કે અન્ય કોઈ પરિવારજનોને મદદ માટે 02774-2050221 ઉપર સંપર્ક માટે આ નંબર શેર કરી શકો છો