આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશ
તાહિર મેમણ – આણંદ – 03/08/2025 – આણંદના
સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૩ જી સપ્ટેમ્બર, બુધવારના રોજ ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.
આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ નાયબ વન સંરક્ષક, ગાંધીનગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સાંગોડપુરા સ્થિત માનવરશ્મિ પ્રાથમિક શાળા નં. ૧૦ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં નાગરિકોને ઉપસ્થિત રહેવા સામાજિક વનીકરણ વિભાગ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.





