GUJARATRAJKOTUPLETA

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભાયાવદરમાં ૭૭મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જોરશોરથી કરવામાં આવી

૧૫ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૧૫મી ઓગસ્ટ ૭૭ મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જોરશોરથી કરવામાં આવી, તે સાથે ધ્વજ વંદન સાથે વિવિધ કાર્યક્રમો નું આયોજન થયેલ હતું, અને બાળકો દ્વારા અઠીંગો રાસ, દેશભક્તિ ગીત, શહીદ વીરોની દેશભક્તિ જેવા વિષય ઉપર સ્પીચ આપવામાં આવી અને વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.આ કાર્યક્રમમાં પરમપૂજ્ય રામાનુજ દાસજી સ્વામી ,પરમપૂજ્ય ભક્તિનંદનદાસજી સ્વામી અને પધારેલ મહેમાન શ્રી ડો.મારડિયા સાહેબ દ્વારા ઠાકોરજીનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.


આ કાર્યક્રમનું સંચાલન ગુરૂકુલના પ્રિન્સિપાલ નીતિન દવે સાહેબ અને શિક્ષક પિયુષભાઈ સોલંકીના સહયોગથી કરવામાં આવેલ હતો.
આજના કાર્યક્રમને જોઈ બાળકોની અંદર ભારતદેશની આઝાદીના પર્વનો જોશ જોવા મળ્યો હતો અને બાળકોએ જય જવાન જય કિસાન, ભારત માતાકી જય, વંદે માતરમ, શહીદ જવાન અમર રહો જેવા સૂત્રોના નારા લગાવ્યા હતા અને અંતમાં વિધાર્થીઓ, શિક્ષકો અને મહેમાનો અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!