GUJARATKUTCHMUNDRA

ચિત્રહારથી પ્રખ્યાત ‘મનુ ભવૈયા’ની વિદાય: ગ્રામ્ય નાટ્ય જગતમાં શોકનું મોજું

કુણઘેર-પાટણના કલાકાર મનોજભાઈ નાયક (મનુ ભવૈયા)ના નિધનથી નખત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગમગીની

વાત્સલ્યમ્ સમાચાર, 

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

😔 ચિત્રહારથી પ્રખ્યાત ‘મનુ ભવૈયા’ની વિદાય: ગ્રામ્ય નાટ્ય જગતમાં શોકનું મોજું

 

કુણઘેર-પાટણના કલાકાર મનોજભાઈ નાયક (મનુ ભવૈયા)ના નિધનથી નખત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગમગીની

 

વર્ષોથી ગુજરાતના ગામડાંઓમાં પોતાની કલા દ્વારા મનોરંજન પૂરું પાડનાર અને ગ્રામ્ય નાટક (ભવાઈ)ના રંગમંચના એક તેજસ્વી કલાકાર, મનોજભાઈ નાયક (મનુ ભવૈયાનું પેડુ) નું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી મથકના નાટકપ્રેમીઓ અને તેમના ચાહકો સહિત નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે.

મૂળ વતન કુણઘેર, પાટણના વતની મનોજભાઈ નાયક ‘મનુ ભવૈયા’ તરીકે ખૂબ જ જાણીતા હતા. તેઓ જૂના ગ્રામ્ય નાટકોમાં મુખ્ય વ્યક્તિ તરીકે અભિનય કરતા હતા. તેમની ખાસિયત એ હતી કે તેઓ ગુજરાતી ગીતો, કવ્વાલી સહિત હિન્દી ફિલ્મોના મોટા ભાગના ગીતો મોઢે ગાઈને દર્શકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડતા હતા.

ખાસ કરીને, નાટક (ભવાઈ)ના પ્રદર્શન દરમિયાન વચ્ચે આવતા ચિત્રહારના કાર્યક્રમથી તેઓ અતિ પ્રખ્યાત થયા હતા, જે ગ્રામ્ય નાટકનો એક અવિભાજ્ય અને લોકપ્રિય ભાગ બની ગયો હતો.

મનુભાઈ તેમના લાગણીશીલ સ્વભાવ અને ઉચ્ચ વ્યક્તિત્વ માટે જાણીતા હતા. તેમના અવસાનથી સૌ કોઈએ તેમના પ્રત્યે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ગ્રામ્ય નાટક (ભવાઈ)ના મંચ પર તેમની ખોટ કાયમ રહેશે.

તમામ ચાહકો અને નાટકપ્રેમીઓએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પ્રભુ પરમ શાંતિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!