વિજાપુર પટેલ પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપના વિજયી ઉત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પટેલ પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપના વિજયી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયા દશમી ના રોજ વર્ષ ૧૯૨૫ મા થઈ હતી.જેને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ જેની ઉજવણી કરાઈ હતી.જેમાં સંઘ દ્વારા શસ્ત્ર પૂજા પરેડ ધ્વજા રોહણ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ગુજરાત રાજ્ય પ્રાંત પ્રમુખ ડો કૈલાશભાઈ ત્રિવેદી તેમજ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અગ્રણી ડો સુભાષ ભાઈ દવે દ્વારા સંઘ ના નીતિ નિયમો નુ માર્ગદર્શન આપવા મા આવ્યું હતુ. જેમાં શિસ્ત નુ મહત્વ સમજાવવા મા આવ્યું હતુ આ પ્રસંગે ધારાસભ્ય સી.જે ચાવડા પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપ ના પ્રમુખ રાજુભાઈ એસ પટેલ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.