આહવા તાલુકા પંચાયતમાં મોટર ખરીદીમાં મોટાપાયે ગોબાચારીના આક્ષેપ સામે નકકર કાર્યવાહી ન થતા રાજ્યપાલને આવેદન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં 15માં નાણાપંચ હેઠળ મોટર ખરીદીમાં મોટા પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપ સાથે ડાંગ કોંગ્રેસનાં નેતા મનીષ મારકણાએ અનેક વખત આવેદનપત્ર આપી તપાસની માંગ કરી હોવા છતા તંત્ર દ્વારા આજદિન સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.જેના કારણે આખરે મનીષ મારકણાએ ડાંગ જિલ્લાનાં સમાહર્તા મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ડાંગ જિલ્લાની આહવા તાલુકા પંચાયતમાં 15માં નાણાપંચમાં મોટર ખરીદીમાં મોટા પાયે લાખો રૂપિયાનો ભ્રસ્ટાચાર કરેલ તે બાબતે ડાંગ જિલ્લાનાં કોંગ્રેસના નેતા મનીષ મારકણાએ જીલ્લા વિકાસ અધિકારી-ડાંગને તારીખ 29/01/2025નાં રોજ આવેદનપત્ર આપી ભ્રસ્ટાચારની ફરિયાદ કરેલ હતી.જેને ઘણો સમય વીતી જવા છતા તપાસ કરવામાં આવી નથી ખરેખર તપાસ થઈ હોઈ તો તેનો જવાબ/અહેવાલ મનીષ મારકણા ને આપવામાં શુ તકલીફ છે ? કે ભ્રસ્ટાચાર કરનાર ભાજપ પાર્ટી સાથે સારો મોભો ધરાવે છે? એટલે કે પછી પ્રશાસન સાથે મિલીભગતથી ભાજપ પાર્ટીનાં રાજકીય આગેવાનો સાથે મળીને ઈરાદાપૂર્વક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.આવા અનેક સવાલો ઉપસ્થિત થાય છે.જો આ જ રીતે ડાંગ જીલ્લામાં ભ્રસ્ટાચારને વેગ મળતો હોઈ અને લોકોના વિકાસ માટેના નાણા અધિકારીઓ અને રાજકીય માણસોના મળતીયાઓને જહો જહાલી માટે ઉપયોગ થતો હોઈ ત્યારે ડાંગ જીલ્લા પંચાયત કે આહવા તાલુકા પંચાયતનાં લોકશાહીના ધજાગરા ઉડતા હોઈ તો પંચાયતી રાજ બંધ કરી જીલ્લા પંચાયત-ડાંગ અને તાલુકા પંચાયત-આહવાને તાળા મારી બંધ કરી દેવું જોઈએ તેવું મનીષ મારકણા દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે.વધુમાં ખરેખર તપાસ થઈ હોય તો ભ્રસ્ટાચાર કરનાર અધિકારી શાસનમાં બેઠેલા મળતીયાઓને સસ્પેન્ડ કે સજા અને દંડ કરવો જોઈએ અને ભ્રષ્ટાચાર કરનારા ઉપર કોઈપણ કાર્યવાહી કરવામાં નહિ આવશે તો આવા અનેક ભ્રસ્ટાચારો થતા રહેશે અને લોકોને શાસન,પ્રશાસન કાયદા,વ્યવસ્થા, ઉપર કોઈ ભરશો રાખશે કે રહશે નહિ. જેથી ઉપરોક્ત બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને લોકો સમક્ષ આ ભ્રસ્ટાચાર ને ખુલો કરી ભ્રસ્ટાચારી અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી સજા કરવામાં આવે જેથી બીજીવાર આવા કૃત્યો કરનારા ભ્રસ્ટાચારીઓ ભ્રસ્ટાચારથી દૂર રહેશે અને વિકાસનાં કામોના નાણા યોગ્ય જગ્યાએ વાપરશ થાય ત્યારે જ લોકોનો સાચા અર્થમાં વિકાસ થયેલો દેખાશે એવી માંગ સાથે મનીષ મારકણાએ ડાંગ જિલ્લા સમાહર્તા મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું છે.તેમજ વધુમાં આ મામલે તમામ લાગતા વળગતા આધિકારીઓ પાસે ફરિયાદ કરેલ છે.ત્યાંથી પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી મનીષ મારકણાને તમામ આધિકારીઓ પાસે હવે કોઈ આશા નથી તેથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ..



