
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૦ જાન્યુઆરી : રાજય સરકાર રાજ્યના પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બને તેમજ વ્યવસાયને સારી રીતે સ્થાપિત કરીને આર્થિક રીતે પગભર બને તે હેતું સાથે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા સહભાગી થનારા નાગરિકો પણ સ્વયં વિકાસપથ પર અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે પશુપાલકો માટે ઉપયોગી રાજ્ય સરકારની પશુપાલન ખાતાની “ઘાસચારા બિયારણ મીનીકીટસ” સહાયકારી યોજના વિષે જાણીએ યોજનાનો હેતુ : પશુઓને સારો તથા ગુણવતાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલી ઘાસચારા જાતના ઘાસચારા મીનીકીટસ પુરા પાડવામાં આવે છે. લાયકાત: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાન્ય જાતિ અને બક્ષીપંચના ખેડૂતો-પશુપાલકો
યોજનાનો લાભ: વિના મૂલ્યે યોજનાની અરજી પદ્ધતિ: Physically અરજી કરવાની થાય છે.અમલીકરણ સંસ્થા: જિલ્લા પશુપાલન અધિકારી તથા નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી અન્ય શરતો: ૧) ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ અથવા એક વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડા પટ્ટે લીધેલી જમીન હોવી જોઈએ. ૨) ખેડૂત પશુ ધરાવતો હોવો જોઈએ. ૩) જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે. વ્યકિતગત સહાયલક્ષી યોજનાઓ માટે ikhedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વેબસાઇટ- www.ikhedut.gujarat.gov.in , વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લાની પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.


